jump to navigation

તારા સ્વજન તને જાય મૂકી તો April 22, 2009

Posted by Mehul Shah in ગીત, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.
Tags: , , , , , , ,
trackback

 candle

તારા સ્વજન તને જાય મૂકી તો

ગાયકઃ ભાઈલાલ શાહ

તારા સ્વજન તને જાય મૂકી તો,
તેથી કાંઈ ચિંતા કરી ચાલશે ના,

તારી આશાલતા પડશે તૂટી, ફુલ ફલે એમ ફાલશે ના..
તેથી કાંઈ ચિંતા કરી ચાલશે ના..    તારા.

માર્ગે તિમિર ઘોર ઘેરાશે, એટલે તો તું અટકી જાશે
વારંવારે ચેતવે દીવો, ખેર જો દીવો ચેતશે ના..
તેથી કાંઈ ચિંતા કરી ચાલશે ના..    તારા.

બારણા તને બંધ મળે, એટલે તો તું પાછો વળે(૨)
વારંવારે ઠેલવા પડે, ખેર જો દ્વારો ખૂલશે ના,
તેથી કાંઈ ચિંતા કરી ચાલશે ના..    તારા.

સુણી તારા મુખની વાણી, વીંટળાશે વન-વનનાં પ્રાણી (૨)
તો’ય પોતાના ઘરમાં તારે, પાં’ણના હૈયા ગળશે ના…
તેથી કાંઈ ચિંતા કરી ચાલશે ના..    તારા.

Comments»

1. razia - May 3, 2009

ગંભીર, પણ અદભુત ગઝલ.

2. Kumi Pandya - May 4, 2009

Hi Mehul,
Aa geet to kanthasth chhe – shabdo maa thodo sudhaaro karsho?

Suki should be tuti
bhale shold be phale em

Gher should be kher
thelamaa should be thelavaa
tutashe should be khulashe

Sorry for being so picky..

Mehul Shah - May 5, 2009

Thanks Kumiji.Keep finding mistakes, glad that you are my guide.