તારા સ્વજન તને જાય મૂકી તો April 22, 2009
Posted by Mehul Shah in ગીત, ભાઈલાલ શાહ, વિદ્યાવિહાર ગીતો.Tags: આશાલતા, ચિંતા, તિમિર, દીવો, દ્વારો, બારણા, વાણી, સ્વજન
trackback

ગાયકઃ ભાઈલાલ શાહ
તારા સ્વજન તને જાય મૂકી તો,
તેથી કાંઈ ચિંતા કરી ચાલશે ના,
તારી આશાલતા પડશે તૂટી, ફુલ ફલે એમ ફાલશે ના..
તેથી કાંઈ ચિંતા કરી ચાલશે ના.. તારા.
માર્ગે તિમિર ઘોર ઘેરાશે, એટલે તો તું અટકી જાશે
વારંવારે ચેતવે દીવો, ખેર જો દીવો ચેતશે ના..
તેથી કાંઈ ચિંતા કરી ચાલશે ના.. તારા.
બારણા તને બંધ મળે, એટલે તો તું પાછો વળે(૨)
વારંવારે ઠેલવા પડે, ખેર જો દ્વારો ખૂલશે ના,
તેથી કાંઈ ચિંતા કરી ચાલશે ના.. તારા.
સુણી તારા મુખની વાણી, વીંટળાશે વન-વનનાં પ્રાણી (૨)
તો’ય પોતાના ઘરમાં તારે, પાં’ણના હૈયા ગળશે ના…
તેથી કાંઈ ચિંતા કરી ચાલશે ના.. તારા.
ગંભીર, પણ અદભુત ગઝલ.
Hi Mehul,
Aa geet to kanthasth chhe – shabdo maa thodo sudhaaro karsho?
Suki should be tuti
bhale shold be phale em
Gher should be kher
thelamaa should be thelavaa
tutashe should be khulashe
Sorry for being so picky..
Thanks Kumiji.Keep finding mistakes, glad that you are my guide.